ટીમ ઈન્ડિયા હાલ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમી રહી છે. આ મેચના બીજા દિવસે સ્ટાર સ્પિન બોલર આર અશ્વિન મેચની બહાર રહ્યો હતો.
કૌટુંબિક તબીબી કટોકટીના કારણે અશ્વિન ત્રીજી ટેસ્ટમાંથી ખસી ગયો હતો. પરંતુ હવે તેના વાપસી પર એક મોટું અપડેટ સામે આવ્યું છે.
આર અશ્વિન ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે રાજકોટમાં ભારતીય ટીમ સાથે જોડાવા પરત ફરી રહ્યો છે. તે ત્રીજા દિવસની રમત સંપૂર્ણ રીતે રમી શક્યો નહોતો. BCCI એ અપડેટ કર્યું છે કે તે રમતના ચોથા દિવસે જ ટીમ સાથે જોડાશે. ચોથા દિવસની રમત પહેલા યજમાન પ્રસારણકર્તા સાથે વાત કરતા કુલદીપ યાદવે કહ્યું હતું કે એશ ભાઈ કદાચ વાપસી કરી શકે છે. આવી સ્થિતિમાં અશ્વિન લંચ સુધી રાજકોટમાં હોઈ શકે છે. આખો દિવસ મેદાનની બહાર વિતાવવા છતાં અશ્વિન જરૂર પડ્યે બોલિંગ કરવા માટે ઉપલબ્ધ રહેશે.
રવિચંદ્રન અશ્વિનની વાપસી ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર છે. અશ્વિને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 1 વિકેટ લઈને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી હતી. તે ભારત માટે સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે અત્યાર સુધી ભારતીય ટીમ માટે 98 ટેસ્ટ મેચમાં 500 વિકેટ ઝડપી છે. જેમાં 34 વખત 5 વિકેટ લેવાનો સમાવેશ થાય છે.
🚨 UPDATE 🚨: R Ashwin set to rejoin #TeamIndia from Day 4 of the 3rd India-England Test.#INDvENG | @IDFCFIRSTBankhttps://t.co/rU4Bskzqig
— BCCI (@BCCI) February 18, 2024