પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી અને અંતિમ ટેસ્ટ માટે પસંદ કરાયેલી પાકિસ્તાની ટીમને લઈને આકરા સવાલ પૂછ્યા છે. સ્પિનરે કહ્યું છે કે હસન અલીને ટીમમાં જગ્યા ન મળવી જોઈતી હતી.
તેનું માનવું છે કે મોહમ્મદ જુનિયરના સ્થાને હસન અલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને અલી માત્ર એટલા માટે ટીમમાં પ્રવેશ કરી શક્યો કારણ કે તે બાબર આઝમનો મિત્ર છે. જણાવી દઈએ કે હસન અલી ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પ્રથમ દાવમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો.
દાનિશ કનેરિયાએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, “હસન અલી પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનવાને લાયક નથી.” મોહમ્મદ વાસિસ જુનિયરને કોઈપણ કારણ વગર બહાર કરવામાં આવ્યા હતા. હસન અલીની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તે બાબરનો સારો મિત્ર છે. તેઓએ એક વધારાનો સ્પિનર પણ ઉમેર્યો ન હતો. એવા લોકો કોણ છે જેઓ આવા નિર્ણયોને મંજૂરી આપી રહ્યા છે?
હસન અલી ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં એકપણ વિકેટ મેળવી શક્યો નથી. તેણે 23 ઓવરમાં 72 રન આપ્યા હતા.