TEST SERIES

ત્રીજી ટેસ્ટમાંથી બહાર થતા હવે આ ભારતીય બોલર રણજી ટ્રોફી રમશે

Pic- Khel Now

ભારતીય ટીમ મેનેજમેન્ટે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ પહેલા ફાસ્ટ બોલર મુકેશ કુમારને ટીમમાંથી બહાર કરી દીધો હતો. હવે તેને શુક્રવારે બિહાર સામેની રણજી ટ્રોફી મેચ માટે બંગાળમાં જોડાવાની પરવાનગી મળી ગઈ છે.  વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ રમનાર જમણા હાથનો ફાસ્ટ બોલર 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાનારી ચોથી મેચ માટે ભારતીય ટીમ સાથે ફરી જોડાશે.

BCCIએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘મુકેશ કુમારને રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. રાંચીમાં ચોથી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાતા પહેલા તે પોતાની રણજી ટીમ બંગાળ સાથે આગામી મેચમાં રમતા જોવા મળશે.

વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ માટે મોહમ્મદ સિરાજની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ મુકેશ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડના બેટ્સમેનો આરામથી રમતા જોવા મળ્યા હતા. 30 વર્ષીય ખેલાડીએ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં સૌથી ઓછી ઓવરો ફેંકી હતી. તેણે પ્રથમ દાવમાં માત્ર સાત ઓવર નાંખી અને એક પણ વિકેટ ગુમાવ્યા વિના 44 રન આપ્યા. બીજા દાવમાં તેણે પાંચ ઓવર નાખી અને 26 રન આપીને એક વિકેટ લીધી. તેની એકમાત્ર વિકેટ ઈંગ્લેન્ડના નંબર 10 શોએબ બશીરની હતી. બંગાળ-બિહાર રણજી મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે.

Exit mobile version