બાંગ્લાદેશ સામે વનડે શ્રેણી 1-2થી ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. સિરીઝની પ્રથમ મેચ 14 ડિસેમ્બરથી ચિત્તાગોંગમાં રમાશે. કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં રમી શકશે નહીં અને તેની જગ્યાએ કેએલ રાહુલ ટીમની કમાન સંભાળી રહ્યો છે.
KL સાથે શુભમન ગિલની ઓપનિંગ નિશ્ચિત જણાય છે, પરંતુ જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી જેવા અનુભવી ખેલાડીઓ વિના બોલિંગ કોમ્બિનેશન મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે માથાનો દુખાવો વધારી શકે છે.
મોહમ્મદ શમીના સ્થાને જયદેવ ઉનડકટને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે, પરંતુ અત્યારે તેના માટે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવી મુશ્કેલ લાગી રહી છે. બેટિંગ ક્રમમાં ભાગ્યે જ કોઈ ફેરફાર થયો છે. રોહિતની ગેરહાજરીમાં, ગિલ રાહુલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા માટે તૈયાર લાગે છે, જ્યારે ચેતેશ્વર પૂજારા ત્રીજા નંબર પર પોતાનું સ્થાન જાળવી રાખશે.
વિરાટ કોહલીને નંબર-4 અને શ્રેયસ અય્યરને નંબર-5 પર મોકલવામાં આવશે. છઠ્ઠા નંબર પર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હશે. જાડેજાની ગેરહાજરીમાં આર અશ્વિન સાતમા નંબરે અને અક્ષર પટેલ આઠમા નંબરે ઉતરી શકે છે. તેની બેટિંગ ક્ષમતાના કારણે શાર્દુલ ઠાકુરનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ લગભગ નિશ્ચિત છે. જ્યારે ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજને અન્ય બે ઝડપી બોલરો તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન – શુભમન ગિલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, આર અશ્વિન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.