ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના સચિવ જય શાહ છેલ્લા કેટલાક દિવસોથી લાલ બોલના ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરી રહ્યા છે. સૌથી પહેલા તેણે તમામ ખેલાડીઓ માટે રણજી રમવાનું ફરજિયાત બનાવ્યું હતું અને હવે આ ક્રમમાં તેણે ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા ખેલાડીઓનો પગાર વધારવાનો નિર્ણય કર્યો છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને તેનાથી ઘણો ફાયદો થવાનો છે. જ્યારે હાર્દિક પંડ્યાને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ચાલો જાણીએ જય શાહના નવા આદેશ મુજબ ખેલાડીઓના પગારમાં કેટલો વધારો થવાનો છે.
વાસ્તવમાં છેલ્લા કેટલાક સમયથી ટી-20 લીગના કારણે ઘણા ખેલાડીઓ રેડ બોલ ક્રિકેટને મહત્વ નથી આપી રહ્યા, જેના કારણે ડોમેસ્ટિક લેવલ પર રણજી ટ્રોફી જેવી મહત્વની રેડ બોલ ટૂર્નામેન્ટ પોતાનું મહત્વ ગુમાવી રહી છે. આ જ કારણ છે કે તાજેતરમાં BCCI સેક્રેટરી જય શાહે લાલ બોલની ક્રિકેટ રમવાનું ફરજિયાત બનાવ્યું છે અને હવે આ સંદર્ભમાં તેમણે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા ખેલાડીઓનો પગાર વધારવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત તેણે ટેસ્ટ રમી રહેલા ખેલાડીઓને પગાર ઉપરાંત પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરી છે. જે ખેલાડીઓના મેચ દીઠ પગાર કરતાં 50-70% વધુ છે.
I am pleased to announce the initiation of the 'Test Cricket Incentive Scheme' for Senior Men, a step aimed at providing financial growth and stability to our esteemed athletes. Commencing from the 2022-23 season, the 'Test Cricket Incentive Scheme' will serve as an additional… pic.twitter.com/Rf86sAnmuk
— Jay Shah (@JayShah) March 9, 2024