
ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રોહિતે એક વર્ષ પહેલા બાંગ્લાદેશ સામે તેની છેલ્લી ટેસ્ટ રમી હતી…
ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ ગુરુવારથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બીસીસીઆઈએ તેના ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી આપી હતી. ભારતથી ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ રોહિત સિડનીમાં 14 દિવસની ક્વોરેન્ટાઇન હતો. તે બુધવારે મેલબોર્ન પહોંચ્યો હતો અને ટીમમાં જોડાયો હતો.
બીસીસીઆઈએ કેચ પ્રેક્ટિસ કરતી વખતે ગુરુવારે ભારતીય ટીમના ઓપનરનો ફોટો પોસ્ટ કર્યો છે. ફોટોમાં લખ્યું છે કે, “એન્જિન શરૂ થવાનું છે. આગળ શું થશે તેની ઝલક.”
The engine is just getting started and here is a quick glimpse of what lies ahead. #TeamIndia #AUSvIND pic.twitter.com/3UdwpQO7KY
— BCCI (@BCCI) December 31, 2020
રોહિતની મેચ ફિટનેસ ખૂબ મહત્વની રહેશે કારણ કે 10 નવેમ્બરના રોજ આઈપીએલની ફાઇનલ બાદથી તેણે કોઈ પણ પ્રકારની ક્રિકેટ રમી નથી. આઈપીએલ પછી, તે બેંગ્લોરની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (એનસીએ) ગયો અને તેની ઈજા પર કામ કર્યું. તે ઓસ્ટ્રેલિયા આવ્યા પછી ક્યુરેન્ટાઇનમાં હતો તેથી તેને પ્રેક્ટિસ કરવાની તક મળી નહીં.
ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે રોહિત ફાઇનલ -11 માં આવશે તેની ખાતરી નથી.
તેમણે કહ્યું હતું કે, “અમે તેની સાથે વાત કરીશું અને તેની તંદુરસ્તી કેવી છે તે જોઈશું કારણ કે તે બે અઠવાડિયાની ક્વોરેન્ટાઇન હતો. અમારે તે પછી શું અનુભવું છે તે જોવું પડશે અને અમે કોઈ નિર્ણય લઈશું.”
