TEST SERIES

યજમાન શ્રીલંકા બીજી ટેસ્ટ પહેલા મુશ્કેલીમાં, આ ઘાતક સ્પિનર ​​થયો આઉટ

શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં 4 વિકેટની હાર સહન કર્યા બાદ, 0-1થી પાછળ રહેલી યજમાન શ્રીલંકાને 24 જુલાઈથી રમાનારી બીજી ટેસ્ટ પહેલા એક આંચકો લાગ્યો છે.

ઓફ સ્પિનર ​​મહિષ તિક્ષા ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. પ્રથમ ટેસ્ટમાં તિક્ષાના માત્ર બે જ વિકેટ પોતાના નામે કરી શકી હતી પરંતુ તેણે મેચમાં લગભગ 40 ઓવર નાંખીને પાકિસ્તાની બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા. જોકે, પાકિસ્તાને 342 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચોથી ઇનિંગમાં જીત મેળવી હતી.

મહિષ તીક્ષાના જમણા હાથની આંગળીમાં ઈજા થઈ છે. આવી સ્થિતિમાં તેને મેચ પહેલા ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાને 22 વર્ષીય ઓફ સ્પિનર ​​લક્ષ્ય માનસિંઘેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. માનસિંઘે હજુ સુધી શ્રીલંકા તરફથી ડેબ્યૂ કર્યું નથી. તેનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તેણે અત્યાર સુધી રમાયેલી 17 મેચોમાં 73 વિકેટ લીધી છે. તે બેટિંગની સાથે બોલિંગમાં પણ સક્ષમ છે. તેણે આટલી જ મેચોમાં 582 રન પણ બનાવ્યા છે.

શ્રીલંકા માટે પાકિસ્તાન સામેની શ્રેણીની બીજી ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે પ્રથમ ટેસ્ટમાં હાર બાદ તે 48.15ની જીતની ટકાવારી સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે.બીજી તરફ, પાકિસ્તાનની ટીમની જીતની ટકાવારી 58.33 છે.આ સાથે તે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

Exit mobile version