TEST SERIES

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું ટેસ્ટ કરિયર ખતરામાં, આ કારણ સામે આવ્યું

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં રમી શક્યો ન હતો. તેના ઘૂંટણની ઈજા ઘણી મોટી છે અને તેના માટે તે અને બીસીસીઆઈ ડોક્ટરોની સલાહ લઈ રહ્યા છે.

જો તે ઘૂંટણની સર્જરી કરાવશે તો તે ચારથી છ મહિના સુધી ક્રિકેટ રમી શકશે નહીં. એટલા માટે તેને દક્ષિણ આફ્રિકા જનારી ટેસ્ટ ટીમમાં રાખવામાં આવ્યો નથી.

જાડેજા ન્યુઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીનો ભાગ હતો પરંતુ ઈજાના કારણે મુંબઈમાં બીજી ટેસ્ટ રમી શક્યો ન હતો. તેના સ્થાને જયંત યાદવને તક આપવામાં આવી હતી. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે જાડેજાની ઈજા ગંભીર છે. જાડેજા સાથે રમતા એક ક્રિકેટર મિત્રે કહ્યું કે અમારી વચ્ચે તાજેતરમાં ચર્ચા થઈ હતી અને તે લાંબી ODI, T20 અને IPL કારકિર્દી માટે ટેસ્ટ છોડી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જો જાડેજાની સર્જરી થાય છે, તો તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી બાદ ભારતમાં શ્રીલંકા સામેની બે ટેસ્ટ અને ત્રણ મેચની T20I શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે. તે એપ્રિલ-મેમાં યોજાનારી આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમવાની આશા છે. CSKએ તેને મહેન્દ્ર સિંહ ધોની કરતા 16 કરોડ રૂપિયા વધુ આપીને જાળવી રાખ્યો હતો.

Exit mobile version