TEST SERIES

સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો ખતરો ટળ્યો, ટેસ્ટ શ્રેણી માથી થયો બહાર

ભારતીય ક્રિકેટ ટીમ સામે રમાનારી ટેસ્ટ શ્રેણી પહેલા યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઝડપી બોલર એનરિચ નોર્ખિયા ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

યજમાન દક્ષિણ આફ્રિકાએ ભારત સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. સિરીઝની પ્રથમ મેચ બોક્સિંગ ડેથી શરૂ થશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. યજમાન ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર ઈજાના કારણે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. હજુ સુધી, તેના સ્થાને શ્રેણી માટે કયા ખેલાડીની પસંદગી કરવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું નથી.

ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર ઝડપી બોલર એનરિચ નોર્ખિયા ઈજાના કારણે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને કોઈ ખેલાડીના નામની જાહેરાત કરવામાં આવશે નહીં.

નોર્ખિયા ઇન્ડિયન પ્રીમિયર લીગ, ભારતની સ્થાનિક T20 લીગમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. તાજેતરમાં મેગા ઓક્શન પહેલા દિલ્હી દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓમાં તેનું નામ પણ સામેલ છે. તેણે ફાસ્ટ બોલર સાથે ટૂર્નામેન્ટમાં પોતાની ઓળખ બનાવી છે. તે એવો બોલર છે જેણે IPLમાં સૌથી ઝડપી બોલનો રેકોર્ડ બનાવ્યો છે.

Exit mobile version