TEST SERIES

WTCની ફાઇનલ મેચ પહેલા વિરાટ કોહલીનો ઈમોશનલ મેસેજ

ભારતે છેલ્લા દિવસે જીતવા માટે 280 રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે મેદાનમાં છે. ભારતની 7 વિકેટ બાકી છે. લક્ષ્ય અઘરું છે, પણ અશક્ય નથી. છેલ્લા દિવસની રમતની શરૂઆત પહેલા વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ક્વોટ શેર કર્યો છે.

તેણે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું – અન્ય લોકોના અભિપ્રાયોની જેલમાંથી પોતાને મુક્ત કરવા માટે તમારે નાપસંદ થવાની ક્ષમતા વિકસાવવી જોઈએ. આજે જ્યારે તે મેદાનમાં ઉતરશે ત્યારે દરેક ભારતીય ક્રિકેટ ચાહકોની નજર તેના પર હશે. ટીમ ઈન્ડિયાની આ જીત દુનિયાભરના કરોડો ભારતીય પ્રશંસકોને જે ખુશી આપશે, તે ઘણી શ્રેણી જીતથી પણ મેળવી શકાતી નથી.

Exit mobile version