
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ મેચ મુંબઈમાં રમાઈ રહી છે. આ મેચમાં પહેલા દિવસે અમ્પાયરે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને જે રીતે આઉટ આપ્યો તેની ચર્ચા દિવસભર રહી હતી.
ચેતેશ્વર પૂજારાના આઉટ થયા બાદ ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલીએ એજાઝ પટેલની બોલ રમવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બોલરે અપીલ કરી અને અમ્પાયર અનિલ ચૌધરીએ તેને એલબીડબ્લ્યુ આઉટ કર્યો. વિરાટને વિશ્વાસ હતો કે બોલ પહેલા બેટને ફટકાર્યા બાદ પેડ તરફ આવ્યો હતો. જેના કારણે તેણે રિવ્યુ લીધો હતો. ટીવી રિપ્લેમાં તે સ્પષ્ટ નહોતું કે બોલ પહેલા બેટ પર વાગ્યો છે અને તે પેડ પર છે. જે બાદ થર્ડ અમ્પાયર વીરેન્દ્ર શર્માને મેદાન પરના અમ્પાયરના નિર્ણય સાથે સહમત થવું પડ્યું અને તેમણે વિરાટને આઉટ જાહેર કર્યો.
આ દરમિયાન વિરાટ કોહલીની એક 10 જૂની ટ્વિટ વાયરલ થઈ રહી છે. તેણે આ ટ્વિટ 6 ડિસેમ્બર 2011ના રોજ કરી હતી. આ ટ્વિટમાં વિરાટે લખ્યું, ભૂલો સૌથી વધુ થાય છે, મેં પણ ગઈ કાલે ભૂલ કરી હતી, તમે ભૂલોમાંથી શીખો અને આગળ વધો.
અમ્પાયર દ્વારા ખોટો આઉટ આપ્યા બાદ વિરાટ કોહલી ગુસ્સો દર્શાવ્યો હતો. જ્યારે તે મેદાનની બહાર આવી રહ્યો હતો, ત્યારે તેણે બાઉન્ડ્રી લાઇન પાસેની નાની જાહેરાતો પર પોતાનું બેટ ફેંક્યું હતું.
everyone makes mistakes. i made one yesterday. you can only learn from them and move forward.
— Virat Kohli (@imVkohli) December 6, 2011
