વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ હારની કગાર પર ઉભી હોય હાલ તો એવું જ લાગી રહ્યું છે. કેમ કે 469 ના લક્ષ્ય સામે ભારતીય ટીમ 151ના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી ચૂકી છે જેના પરિણામે જો ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ બાકીની પાંચ વિકેટ ગુમાવી દેશે તો ફોલો ઓનનો સામનો કરવો પડશે.
સૌથી મહત્વપૂર્ણ આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના ચયનને લઈને પણ કેટલાક દિગ્ગજ પૂર્વ ક્રિકેટરો દ્વારા વર્તમાન કેપ્ટન રોહિત શર્મા પર સવાલો ઉઠાવ્યા છે ત્યારે આ બીજા દિવસે ભારતીય ટીમ દ્વારા કેવું પર્ફોમન્સ આપવામાં આવ્યું અને કેવી રીતે એક બાદ એક વિકેટો પડી તેની હાઈલાઈટ નીચે તમે જોઈ શકશો.