U-60

રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા જતા પહેલા ભગવાનના આશીર્વાદ લીધા, જુઓ

ભારતીય ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપ 2022 માટે આજે એટલે કે 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ભગવાનના આશીર્વાદ લેવા માટે એક મંદિરમાં પહોંચ્યા હતો.

રોહિતની સાથે તેની પત્ની રિતિકા સજદેહ અને પુત્રી સમાયરા પણ હતી. મંદિરમાં રોહિત અને તેના પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

રોહિત શર્માની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે મંદિરમાં ઉભા રહી ભગવાનના આશીર્વાદ લેતો જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં રોહિતની પુત્રી અદારા તેના ખભા પર બેઠેલી જોવા મળે છે.

Exit mobile version