ભારતીય ટીમ 19 નવેમ્બરે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમવા જઈ રહી છે. ભારતીય ટીમ આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. ભારતીય ટીમની ફાઇનલ મેચ સેમી-ફાઇનલ 2 ની વિજેતા સામે રમવાની છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા અમદાવાદ સ્ટેડિયમ પહોંચી શકે છે. ન્યૂઝ વેબસાઈટ દૈનિક જાગરણ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આ મેચ જોવા માટે અમદાવાદમાં હાજર રહેશે. આ પહેલા ટીમ સેમી ફાઇનલમાં જીત્યા બાદ નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને ફાઇનલમાં પહોંચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ભારતીય ટીમે ચોથી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ પહેલા વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. વર્ષ 1983માં ભારતે કપિલ દેવની કપ્તાનીમાં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2003માં સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ભારતીય ટીમ જીત નોંધાવવામાં નિષ્ફળ રહી હતી. પરંતુ વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે ફરી એકવાર ટ્રોફી પર કબજો કર્યો હતો.
🚨 REPORTS 🚨
Indian Prime Minister Narendra Modi to attend the #CWC23 final in the Narendra Modi stadium, Ahmedabad. 🏟️#NarendraModi #Cricket #India #CWC23 #Sportskeeda pic.twitter.com/y2qrMlEbhX
— Sportskeeda (@Sportskeeda) November 16, 2023
12 વર્ષ બાદ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતને ફરી એકવાર વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કરવાનો મોકો મળશે. ભારતીય ટીમ હાલમાં જબરદસ્ત ફોર્મમાંથી પસાર થઈ રહી છે.
pic- sportstiger.com
