ભારતીય ક્રિકેટ ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર લાંબા સમયથી ટેસ્ટ ફોર્મેટમાં નિષ્ફળ રહ્યા બાદ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી 3 ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો.
તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેની રાષ્ટ્રીય ટીમમાં વાપસી ત્યારે જ થશે જ્યારે તે મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટ રમશે. અય્યરે શરૂઆતમાં બીસીસીઆઈના આદેશનો અનાદર કર્યો હતો અને ઈજાના બહાને રણજી ટ્રોફીથી દૂર રહ્યો હતો, પરંતુ હવે તેણે અચાનક નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે.
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ શ્રેયસ અય્યરે રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી નહીં રમવાનો નિર્ણય લીધો હતો. તે બરોડા સાથે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં રમ્યો નહોતો. આ તેના ઘમંડ તરીકે જોવામાં આવ્યું હતું. પરંતુ હવે અય્યરે રણજી ટ્રોફી 2024માં રમવાનું નક્કી કર્યું છે. હવે તે રણજી ટ્રોફીની સેમિફાઇનલ મેચમાં મુંબઈ તરફથી રમતા જોવા મળશે. તેણે પોતાને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કર્યો છે.
Shreyas Iyer is fully fit now. And he will play Ranji Trophy Semifinal Match for Mumbai. (TOI)
– Good news for Indian cricket & fans..!!! pic.twitter.com/YmAe1SHZ5o
— CricketMAN2 (@ImTanujSingh) February 27, 2024