મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતી ચુકી છે. IPL 2024 પહેલા જ મુંબઈની ટીમે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન નિયુક્ત કર્યો છે.
IPL 2024 22 માર્ચથી શરૂ થઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની પ્રથમ મેચ 24 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે રમશે. પરંતુ હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમનો એક સ્ટાર ખેલાડી IPLની પ્રથમ બે મેચમાંથી બહાર રહી શકે છે.
ભારતના ટોચના T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પગની ઘૂંટીની સર્જરી પછી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં પુનર્વસન હેઠળ છે, પરંતુ આગામી IPL સિઝનની મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ બે મેચો માટે તેની ઉપલબ્ધતા શંકાસ્પદ છે. સૂર્યા ICC T20 રેન્કિંગમાં નંબર વન પર છે. તે પુનરાગમન માટે સખત મહેનત કરી રહ્યો છે.
પીટીઆઈ પ્રમાણે સૂર્યકુમાર યાદવનું પુનર્વસન ટ્રેક પર છે અને તે આઈપીએલની આગામી સિઝનમાં ચોક્કસપણે પુનરાગમન કરશે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી કે NCAની ‘સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ મેડિકલ ટીમ’ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (27 માર્ચ) સામેની પ્રથમ બે મેચમાં રમવા માટે ક્લિયરન્સ આપશે કે કેમ. જો આપણે સૂર્યકુમારના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નજર કરીએ તો, તેણે સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગને લગતી કસરત કરતા કેટલાક વીડિયો શેર કર્યા છે. સૂત્રએ કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆતની મેચમાં હજુ 12 દિવસ બાકી છે, પરંતુ તેની પાસે તે પહેલા ફિટ થવા માટે ઓછો સમય છે.
સૂર્યકુમાર યાદવ મુંબઈના સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેનોમાંના એક છે. તેણે 60 T20I મેચોમાં ચાર સદી અને 171 થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે 2,141 રન બનાવ્યા છે.
View this post on Instagram