ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા યુવા ઓપનર પૃથ્વી શૉ માટે હાલમાં કંઈ જ યોગ્ય થઈ રહ્યું નથી. શોને મુંબઈની રણજી ટ્રોફી ટીમમાંથી પણ બહાર કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહેલા શૉને મોટો આંચકો લાગ્યો છે કારણ કે મુંબઈની પસંદગી સમિતિએ ખરાબ ફિટનેસના કારણે ઓપનિંગ બેટ્સમેનને આગામી રણજી ટ્રોફી મેચમાંથી બહાર કરી દીધો છે. મુંબઈને 26 થી 29 ઓક્ટોબર સુધી ત્રિપુરા સામે રમવા માટે અગરતલા જવાનું છે પરંતુ શૉ આ મેચ માટે ટીમનો ભાગ નહીં હોય.
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, પસંદગીકારોએ પૃથ્વી શૉને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના ટ્રેનર્સ દ્વારા બે અઠવાડિયા માટે તૈયાર કરેલા ફિટનેસ પ્રોગ્રામને અનુસરવા કહ્યું છે. પૃથ્વી શૉએ અત્યાર સુધી રણજી ટ્રોફીની બે મેચમાં ચાર ઇનિંગ્સમાં અનુક્રમે 7,12, 1 અને 39 રન બનાવ્યા છે. ટીમ મેનેજમેન્ટે એમસીએને જાણ કરી છે કે પૃથ્વી શૉના શરીરમાં 35 ટકા ચરબી છે અને ટીમમાં પાછા આવતા પહેલા તેને સખત તાલીમની જરૂર છે.
એમસીએના અધિકારીએ જણાવ્યું હતું કે, “તેને પડતો મૂકવામાં આવ્યો છે અને તેને તાલીમમાં પાછા ફરવાની જરૂર છે અને પસંદગી માટે શરીરનું થોડું વજન ઘટાડવું પડશે.”
અજિંક્ય રહાણે મુંબઈની ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શ્રેયસ અય્યર અને શાર્દુલ ઠાકુર ત્રિપુરા સામેની મેચ માટે ટીમનો ભાગ હશે. સૂર્યકુમાર યાદવે એમસીએને જાણ કરી છે કે તે વ્યક્તિગત કારણોસર મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં.
Prithvi Shaw dropped from the Mumbai squad due to discipline and fitness issue. Sad. Nothing going well for him. pic.twitter.com/I69EY6jQLP
— R A T N I S H (@LoyalSachinFan) October 22, 2024