ભારત અને ઇંગ્લેન્ડની ટીમ 20 જૂનથી ટેસ્ટ શ્રેણી રમશે. ટીમ ઇન્ડિયા પાંચ મેચની શ્રેણી રમશે જે 4 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. મુંબઈની ઉભરતી ટીમ ભારત-ઇંગ્લેન્ડ શ્રેણી વચ્ચે ઇંગ્લેન્ડનો પણ પ્રવાસ કરશે, આ પ્રવાસ માટે પંજાબ કિંગ્સના ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
એમસીએના સેક્રેટરી અભય હડપે જણાવ્યું હતું કે, આ પ્રવાસનો ઉદ્દેશ ખેલાડીઓના વિકાસને વેગ આપવા, ટેકનિકલ અને વ્યૂહાત્મક કૌશલ્યો વધારવા તેમજ માનસિક શક્તિ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રવાસ પર, ટીમ નોટિંગહામશાયર, કાઉન્ટીની સંયુક્ત ટીમ (ચેલેન્જર્સ), વોર્સેસ્ટરશાયર અને ગ્લોસ્ટરશાયર અને અન્ય ટીમો સામે રમશે.
સૂર્યાંશ શેડગેને મુંબઈની ઇમર્જિંગ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જે 28 જૂનથી એક મહિના માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. સૂર્યાંશ શેડગે IPL 2025 માં પંજાબ કિંગ્સ તરફથી રમતા જોવા મળ્યા હતા.
મુંબઈની ટીમ:
સૂર્યાંશ શેડગે (કેપ્ટન), વેદાંત મુરકર (વાઈસ-કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, આયુષ વર્તક, આયુષ જીમારે, હિમાંશુ સિંઘ, મનન ભટ્ટ, મુશીર ખાન, નિખિલ ગિરી, પ્રગ્નેશ કાનપિલેવાર, પ્રતીક કુમાર યાદવ, પ્રેમ દેવકર, પ્રિન્સ બદિયાની, ઝૈદ પટણકર, હરેશ ગોધર, એચ.