
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂન 2021 થી સાઉધમ્પ્ટનમાં રમાશે…
આઈપીએલ 2021 ની અનિશ્ચિત મુલતવી રાખ્યા બાદ વિરાટ કોહલી એન્ડ કંપની દ્વારા આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂન 2021 થી સાઉધમ્પ્ટનમાં રમાશે.
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ બાદ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર દરમિયાન 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવામાં આવશે. ભારતની 20 સભ્યોની ટેસ્ટ ટીમમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાની વાપસી થઈ છે.
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આગળની મુસાફરી માટે તૈયાર છે. બુધવારે ક્રિકેટરે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે જીમમાં જોવા મળી રહ્યો છે, તેણે કેપ્શનમાં લખ્યું, ‘ઇંગ્લેન્ડ પ્રવાસ માટે અહીંથી તૈયારી શરૂ થાય છે, વર્કઆઉટ.’
View this post on Instagram
