
ફાઇનલ મેચમાં યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાજનો સમાવેશ કર્યો છે…
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન ટીકાકાર સંજય માંજરેકરે 18 જૂનથી ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ માટે ભારતની પ્લેઇંગ ઇલેવનની ઘોષણા કરી છે. તેણે આ ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સ્થાન આપ્યું નથી. જાડેજાએ સોમવારે ઇન્ટ્રા-સ્કવોડ મેચમાં 54 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જાડેજા ઉપરાંત અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્માને છોડીને માંજરેકરે ડબ્લ્યુટીસીના ફાઇનલ મેચમાં યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાજનો સમાવેશ કર્યો છે.
માંજરેકરે આ ટીમમાં એકમાત્ર સ્પિનરને આર અશ્વિનના રૂપમાં પસંદ કર્યો છે. સિરાજ સિવાય ટીમમાં અન્ય ફાસ્ટ બોલરોમાં મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહનો સમાવેશ થાય છે. ‘ઇએસપીએન ક્રિકઇંફો’ સાથે વાત કરતાં માંજરેકરે કહ્યું કે, ‘ઇંગ્લેન્ડમાં સ્વિંગ બોલિંગની બાબતમાં સિરાજ ઇશાંત કરતા વધારે અસરકારક સાબિત થશે, જોકે ટીમ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં તક આપશે એવી થોડી આશા છે.’
સંજય માંજરેકરની ટીમમાં ડબ્લ્યુટીસી ફાઇનલ્સ માટે: રોહિત શર્મા, શુબમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રીષભ પંત, હનુમા વિહારી, આર અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
