ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકા પ્રવાસ પહેલા ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. યુવા ડાબોડી બેટ્સમેન સાઈ સુદર્શન હજુ સુધી સંપૂર્ણ ફિટ ન હોવાથી તેઓ ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકા માટે રવાના થયા નથી. પસંદગી સમયે જ બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે સુદર્શનની પસંદગી તેની ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે. હાલમાં તેઓ બેંગલુરુ સ્થિત BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબિલિટેશન કરી રહ્યા છે અને હજુ અંતિમ ફિટનેસ મંજૂરી મળી નથી.
અહેવાલો અનુસાર સાઈ સુદર્શનની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેણે બેટિંગ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. જોકે તેઓ હજુ 100 ટકા ફિટ નથી, જેના કારણે ભારતીય ટીમ સાથે મુંબઈથી કોલંબો જવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જો આગામી દિવસોમાં તેઓ સંપૂર્ણ રીતે ફિટ જાહેર થશે તો તેઓ બાદમાં શ્રીલંકામાં ટીમ સાથે જોડાઈ શકે છે.
ભારતીય ટીમ શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી પહેલા ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચ રમવાની છે, જે 7થી 9 ઓગસ્ટ દરમિયાન કોલંબોના NCC મેદાન પર યોજાશે. આ મુકાબલો ખેલાડીઓને સ્થાનિક પરિસ્થિતિમાં ઢળવાની સારી તક આપશે. ત્યારબાદ બંને દેશો વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણીનો પ્રથમ મુકાબલો 15 ઓગસ્ટથી ગોલમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં યોજાશે.
સાઈ સુદર્શન છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટેસ્ટ ટીમના મહત્વના યુવા બેટ્સમેન તરીકે ઉભરી રહ્યા છે. તેમની ગેરહાજરી ટીમ માટે ચોક્કસપણે પડકારરૂપ બની શકે છે, ખાસ કરીને ટોચના ક્રમમાં. બીજી તરફ, ભારતીય ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓની લાંબા ગાળાની ફિટનેસને પ્રાથમિકતા આપી રહ્યું છે અને કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. હવે સૌની નજર બીસીસીઆઈની આગામી ફિટનેસ અપડેટ પર રહેશે કે સાઈ સુદર્શન ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં ટીમ સાથે જોડાઈ શકશે કે નહીં.
Sai Sudarshan wont travel with team India for Sri Lanka test series. (Rohit Juglan)
– Team India will reach Sri Lanka today for the 2-match test series. pic.twitter.com/nxH45zrkUH
— Gyanu Gautam (@gyanudatt8) August 4, 2026
