IPL 2025 વચ્ચે RCB ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. 23 મેના રોજ RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારી મેચનું સ્થળ બદલવામાં આવ્યું છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આરસીબી અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ 23 મેના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવાની હતી, હવે આ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બેંગલુરુમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરસીબી હવે તેનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અને તેનો છેલ્લો લીગ મેચ 27 મેના રોજ એકાના સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે IPL 2025 ના પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. RCB એ અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમી છે, જેમાં ટીમે આઠ મેચ જીતી છે જ્યારે ટીમે ત્રણ મેચ હારી છે. એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી.
આરસીબી અને કેકેઆર વચ્ચેની મેચ 17 મેના રોજ બેંગલુરુમાં રમવાની હતી, પરંતુ વરસાદને કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. વરસાદને કારણે આ મેચમાં ટોસ થઈ શક્યો નહીં. મેચ રદ થવાને કારણે, KKR ટીમ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ.
🚨 RCB MATCH SHIFTED TO EKANA. 🚨
– RCB’s home match Vs SRH is now shifted to Lucknow due to rain prediction. (Espncricinfo). pic.twitter.com/PID0Hbfw86
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2025
