ભારતના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ સ્વીકાર્યું છે કે સચિન તેંડુલકરનો 49 ODI સદીનો રેકોર્ડ તોડવો એ તેમના માટે ‘ખરેખર ભાવનાત્મક ક્ષણ’ હશે.
તેંડુલકરે વન-ડેમાં 49 સદી સાથે પોતાની કારકિર્દીનો અંત આણ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય સ્તરે 100મી સદી હતી (ટેસ્ટમાં 51 સદી). તે સમયે રમતગમતના નિષ્ણાતોનું માનવું હતું કે તેંડુલકરનો રેકોર્ડ ભાગ્યે જ કોઈ તોડી શકે છે.
કોહલીએ જોકે 274 વનડેમાં 46 સદી ફટકારી છે. 34 વર્ષીય બેટ્સમેન તેની બાળપણની મૂર્તિને વધુ ત્રણ સદી સાથે મેચ કરવા માટે જોશે. જ્યારે કોહલીને આ સીમાચિહ્ન સુધી પહોંચવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘મારા માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે જો આવું થશે તો’.
કોહલી, યુવરાજ સિંહ, એમસી મેરી કોમ, સુનીલ છેત્રી, હરમનપ્રીત કૌર અને પેરા-એથ્લેટ અવની લેખરા, સ્પોર્ટ્સ એપેરલ અને એસેસરીઝ કંપની પુમા સાથે મળીને ડિઝની પ્લસ હોટસ્ટર સાથે મળીને છ ભાગની ડોક્યુમેન્ટરી શ્રેણીનું નિર્માણ કર્યું છે. તેમાં આ ખેલાડીઓની જીવનયાત્રાની સાથે ફિટનેસ સાથે જોડાયેલા પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.