એક સમયે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહી ચૂકેલા ફાસ્ટ બોલર ઈશ્વર પાંડેએ આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
મધ્યપ્રદેશના આ ફાસ્ટ બોલરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની નિવૃત્તિની જાણકારી આપી હતી. T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમની પસંદગી થયા બાદ જ પાંડેએ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
જોકે 33 વર્ષીય પાંડેએ ભારત માટે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, પરંતુ 2014માં જ્યારે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો ત્યારે તે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. ઈશ્વર તે પ્રવાસમાં ODI અને ટેસ્ટ ટીમનો ભાગ હતો. પરંતુ સમગ્ર પ્રવાસ દરમિયાન તેને એક પણ મેચમાં રમવાની તક મળી ન હતી. તે મધ્યપ્રદેશના રીવા જિલ્લામાંથી પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હતો.
ઈશ્વરે ઘરેલુ ક્રિકેટમાં 75 ફર્સ્ટ ક્લાસ, 58 લિસ્ટ A અને 71 T20 મેચ રમી છે, જેમાં તેણે અનુક્રમે 263, 63 અને 68 વિકેટ લીધી છે. તે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો ભાગ રહી ચુક્યો છે, જેણે IPL ખિતાબ જીત્યો હતો. જોકે, તે છેલ્લા ત્રણ સિઝનથી આઈપીએલમાં રમી રહ્યો નથી.
ઇંસ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરતા ઈશ્વરચંદ પાંડેએ લખ્યું કે, “આજે તે દિવસ આવી ગયો છે અને ભારે હૃદય સાથે મેં આંતરરાષ્ટ્રીય અને પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મેં આ અદ્ભુત સફર 2007 માં શરૂ કરી હતી અને ત્યારથી મેં મેદાન પર અને મેદાનની બહાર દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સામેલ થવું મારા માટે ગર્વની વાત હતી. પરંતુ એ પણ દુઃખની વાત છે કે મને દેશ માટે વધુ રમવાની તક ન મળી.
View this post on Instagram