ચીની બાજુથી પણ જાનહાની થઈ છે, પરંતુ હંમેશાની જેમ, સામ્યવાદી સરકારે વાસ્તવિક આંકડા જાહેર કર્યા નથી…
સોમવારે રાત્રે લદ્દાખના ગાલવાન ખીણ વિસ્તારમાં ચીની સૈનિકો સાથેના “હિંસક મુકાબલામાં” કર્નલ રેન્કના અધિકારી અને ભારતીય સેનાના બે જવાનોના મોત થયા બાદ ભારતીય ક્રિકટરોએ ચીનની નિંદા કરી છે. અધિકારીઓ સેનાની પાયદળની બટાલિયનની કમાન્ડ કરી રહ્યા હતા.
પૂર્વી લદ્દાખમાં, લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તણાવ ઘટાડવાનો પ્રયાસ કરતા બને પક્ષોના જવાન આમને સામને થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની બાજુથી પણ જાનહાની થઈ છે, પરંતુ હંમેશાની જેમ, સામ્યવાદી સરકારે વાસ્તવિક આંકડા જાહેર કર્યા નથી.
દેશભરના લોકો આપણા જીવ ગુમાવનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે ભારતીય ખિલાડીયોએ પણ તેમનો સાથ આપ્યો હતો.
સેહવાગે ટ્વિટ કરીને ચીન પર હુમલો કર્યો છે. સેહવાગે પોતાની ટ્વિટમાં કહ્યું છે કે, ‘ગેલવાન પર ક્રિયામાં સર્વોચ્ચ બલિદાન આપનાર કર્નલ સંતોષ બાબુ પ્રત્યે હાર્દિક સંવેદના. એક સમયે, જ્યારે વિશ્વમાં ગંભીર રોગચાળો આવે છે, ત્યારે આ છેલ્લી વસ્તુ છે જેનાથી નિપટવાની જરૂર છે. મને આશા છે કે ચાઇનીઝ સુધરશે. ”
Heartfelt condolences to Col. Santosh Babu who made the Supreme Sacrifice in action at the#GalwanValley . At a time, when the world is dealing with a serious pandemic, this is the last thing we need. I hope Cheeni sudhar jaayein. pic.twitter.com/PlvE9WStEY
— Virender Sehwag (@virendersehwag) June 16, 2020
આ ઉપરાંત ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, બૅટ્સમેન શિખર, રોહિત શર્મા, સુરેશ રૈના જેવા ખિલાડીયોએ શ્રદ્ધાંજલિ આપી.