પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા CJP (કોકરોચ જનતા પાર્ટી)ના વિરોધ પ્રદર્શનને લઈને મોટું નિવેદન આપ્યું છે. કનેરિયાએ આ સમગ્ર આંદોલનને “ડ્રામા” ગણાવતા કહ્યું કે દેશના યુવાનોની લાગણીઓ સાથે રાજકીય રમત રમાઈ રહી છે અને આ પ્રકારના વિરોધથી સમસ્યાનું સમાધાન નહીં આવે.
દાનિશ કનેરિયાએ જણાવ્યું કે ભારત જેવા લોકશાહી દેશમાં દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે, પરંતુ વિરોધ પ્રદર્શનના નામે અશાંતિ ફેલાવવી યોગ્ય નથી. તેણે કહ્યું કે જો કોઈ મુદ્દો હોય તો તેનો ઉકેલ સરકાર અને સંબંધિત સંસ્થાઓ સાથે ચર્ચા દ્વારા લાવવો જોઈએ, રસ્તા પર લાંબા સમય સુધી વિરોધ કરીને નહીં. તેના મતે જંતર-મંતર પર ચાલી રહેલી સમગ્ર ઘટનાને વધુ રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે.
તાજેતરના દિવસોમાં દિલ્હીના જંતર-મંતર પર હજારો લોકો ભેગા થઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. ભારે વરસાદ અને કડક સુરક્ષા વ્યવસ્થા છતાં લોકોનો ઉત્સાહ યથાવત રહ્યો હતો. કેટલાક સ્થળોએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી. સુરક્ષાના કારણોસર મેટ્રોના અનેક સ્ટેશનો પણ તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા.
કનેરિયાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોએ તેના નિવેદનને સમર્થન આપ્યું છે, જ્યારે અન્યોએ કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધ કરવો લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે. હાલ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલુ છે અને પ્રદર્શનકારીઓ પોતાની માંગણીઓ પર અડગ છે. બીજી તરફ સરકાર તરફથી ચર્ચા દ્વારા ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ સમાધાન સામે આવ્યું નથી.
I am disturbed because every protest in India seems to have the same script.
1. Abuse Lord Ram.
2. Abuse Bharat Mata.
3. Abuse PM Modi.
4. Abuse PM Modi’s late mother.
5. Abuse Brahmins.
6. Abuse Hindutva.
No discussion.
No solutions.
Only slogans, abuse, and chaos.
The…
— Danish Kaneria (@DanishKaneria61) July 22, 2026
