23 વર્ષીય અર્જુન તેંડુલકરે ગોવા માટે તેની રણજી ટ્રોફીની શરૂઆત યાદગાર બનાવી હતી. સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર મુંબઈ સ્થિત છે, પરંતુ છેલ્લી સિઝનથી તેણે ગોવા તરફથી રમવાનું નક્કી કર્યું.
એલિટ ગ્રુપ-સીની મેચમાં ગોવાએ 9 વિકેટે 547 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. અર્જુન 207 બોલમાં 120 રન બનાવીને આઉટ થયો હતો. અર્જુન સિવાય સુયશ પ્રભુદેસાઈએ 212 રનની ઈનિંગ રમી હતી. અર્જુને આ ઈનિંગ પછી કહ્યું કે તે હંમેશા પોતાની જાત પર વિશ્વાસ રાખે છે.
અર્જુને 310 મિનિટ ક્રીઝ પર વિતાવી અને 207 બોલમાં 16 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 120 રનની યાદગાર ઇનિંગ રમી. સચિન તેંડુલકરે પણ તેની ડેબ્યૂ રણજી મેચમાં સદી ફટકારી હતી અને અર્જુન પણ તેના પિતાના પગલે ચાલ્યો હતો. અર્જુને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું, ‘હું હંમેશા મારી ક્ષમતા પર વિશ્વાસ રાખતો હતો અને જાણતો હતો કે એકવાર હું સેટ થઈ જઈશ તો હું મોટી ઇનિંગ્સ રમી શકીશ. મારે માત્ર પહેલો કલાક સાવધાનીથી રમવો હતો અને પછી મારી ઇનિંગ્સને આગળ વધારવી હતી.
અર્જુને કહ્યું, ‘જ્યારે હું આવ્યો ત્યારે મારું કામ શક્ય તેટલા બોલનો સામનો કરવાનું હતું કારણ કે સુયશ 80 રન પર રમી રહ્યો હતો અને મારું કામ તેની સુરક્ષા કરવાનું હતું. જ્યારે બીજા દિવસે મારું કામ પહેલા કલાકમાં ધ્યાનથી રમવાનું અને પછી રન બનાવવાનું હતું.