ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે ઓગસ્ટમાં ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે આયર્લેન્ડના પ્રવાસે જશે. ક્રિકેટ આયર્લેન્ડે શુક્રવારે આ જાણકારી આપી.
ક્રિકેટ આયર્લેન્ડે કહ્યું: “આયર્લેન્ડના ક્રિકેટ ચાહકો ભારતને જોવાનો આનંદ માણશે, જે વિશ્વની નંબર વન T20 આંતરરાષ્ટ્રીય ટીમ છે, જ્યારે એશિયાના ટોચના ખેલાડીઓ આ ઓગસ્ટમાં ત્રણ મેચની T20I શ્રેણી માટે માલાહાઇડ પરત ફરશે.”
ભારતીય T20 ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે આ જ સ્થળે બે મેચની શ્રેણી દરમિયાન ટીમનું નેતૃત્વ કર્યું હતું. ભારત આ વર્ષે ઘરઆંગણે ODI વર્લ્ડ કપ રમી રહ્યું છે ત્યારે એ જોવાનું રહે છે કે શું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હાર્દિકને એવી સિરીઝમાં રમવાનું જોખમ લેશે કે જે વર્લ્ડ કપની તૈયારીઓની દૃષ્ટિએ બહુ મહત્ત્વની નથી.
જોકે, આ સિરીઝ આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડ માટે ખૂબ મૂલ્યવાન છે કારણ કે તેની પ્રસારણ આવક તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે. આ શ્રેણી 18 થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાશે.
ક્રિકેટ આયર્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વોરેન ડ્યુટ્રોમે કહ્યું, “2023ની ઉનાળાની સીઝન પુરૂષ ક્રિકેટના સંદર્ભમાં ઉજવણી જેવી હશે. તે ચાહકો માટે ખૂબ જ ખાસ હશે. અમે આજે પુષ્ટિ કરી શકીએ છીએ કે ભારત સતત બીજા વર્ષે આયર્લેન્ડનો પ્રવાસ કરશે. આ પહેલા અમારી ટીમ મે મહિનામાં બાંગ્લાદેશ સામે વર્લ્ડ કપ સુપર લીગ હેઠળ રમાનારી ODI શ્રેણીમાં ભાગ લેશે. ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણી રમશે.”
👉 BIG FIXTURES INCOMING
Ireland Men will face India, Bangladesh, England and compete for qualification to two world cups this summer.
➡️ Read more: https://t.co/6tLXcndt9e#BackingGreen ☘️🏏 pic.twitter.com/mhu8dRDjxC
— Cricket Ireland (@cricketireland) March 17, 2023