સૂર્યકુમાર યાદવ શ્રીલંકા પ્રવાસ પર આયોજિત થનારી ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણીના ભાગ રૂપે ભારતીય ટીમની કપ્તાની કરતો જોવા મળશે. આ ટી20 સીરીઝમાં સૌની નજર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ પર ટકેલી છે કારણ કે જો તે જોરદાર પ્રદર્શન કરશે તો તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2026માં પ્રવેશવાની શક્યતાઓ વધી જશે.
જો કે આ પહેલા પણ સૂર્યકુમાર યાદવે ટી20 ફોર્મેટમાં ઘણી વખત ભારતની કેપ્ટનશીપ કરી છે. અહીં અમે સૂર્યકુમાર યાદવના કેપ્ટનશિપના રેકોર્ડની પણ ચર્ચા કરી રહ્યા છીએ, સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી કુલ 7 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી છે, જેમાંથી તેણે 5 મેચ જીતી છે, જ્યારે 2માં હારનો સામનો કરવો પડ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે સૂર્યાએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમો સામેની T20 શ્રેણીમાં ભારતની કમાન સંભાળી હતી.
આ સિવાય સૂર્યકુમાર યાદવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી હેઠળ ડોમેસ્ટિક T20 ક્રિકેટમાં મુંબઈની કેપ્ટનશિપ કરી છે. અહીં પણ કેપ્ટન તરીકે તેનો રેકોર્ડ સારો રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં તેણે 16 મેચમાં કેપ્ટનશિપ કરી અને 10 મેચ જીતી અને 6 મેચ હારી.
જ્યારે સૂર્યકુમારે IPLની માત્ર 1 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરી છે અને ટીમને જીત અપાવી છે. સૂર્યકુમાર યાદવની ગણતરી T20ના ખતરનાક બેટ્સમેનોમાં થાય છે, અત્યાર સુધી તેણે આ ફોર્મેટમાં ભારત માટે ચાર સદી ફટકારી છે. તે શ્રીલંકા સામે પણ હલચલ મચાવી શકે છે.