ઈંગ્લેન્ડ ટીમના ઓલરાઉન્ડર મોઈન અલીએ ત્રણ વર્ષ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી તે ઈંગ્લેન્ડ માટે સફેદ બોલ ક્રિકેટ અને લીગ ક્રિકેટ રમ્યો છે.
જો કે તેના માટે ફરી એકવાર ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના દરવાજા ખુલી ગયા છે, પરંતુ આ માટે તેણે નિવૃત્તિમાંથી બહાર આવવું પડશે. ઈંગ્લેન્ડની ટીમ તરફથી તેને 2023માં એશિઝ સિરીઝમાં રમવાની વિનંતી કરવામાં આવી છે, જેના પર તે વિચાર કરી રહ્યો છે.
મોઇન અલી પર વિચાર કરવામાં આવી રહ્યો છે કારણ કે ટીમનો અનુભવી બોલર જેક લીચ ખરાબ રીતે ઘાયલ છે અને તે એશિઝ શ્રેણીમાં રમી શકશે નહીં. આવી સ્થિતિમાં મોઇન અલીને પરત બોલાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેક લીચ રવિવારે એશિઝ શ્રેણીમાંથી બહાર થયા બાદ 35 વર્ષીય મોઈન અલી ઈંગ્લેન્ડ માટે ઉપલબ્ધ સૌથી અનુભવી વિકલ્પ છે. આયર્લેન્ડ સામેની જીત બાદ જેક લીચને પીઠનો દુખાવો થયો હતો અને સ્કેનથી સ્ટ્રેસ ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું હતું.
2014માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર મોઈન અલીએ 64 ટેસ્ટ મેચમાં 195 વિકેટ લીધી છે અને 5 સદી પણ ફટકારી છે. ઇંગ્લેન્ડની ટીમ તેના અનુભવનો ફાયદો ઉઠાવવા માંગે છે. તેણે 2021માં છેલ્લી એશિઝ શ્રેણી બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આવી સ્થિતિમાં તે બેન સ્ટોક્સની કેપ્ટનશીપવાળી અને બ્રેન્ડન મેક્કુલમના કોચવાળી ટીમ સાથે રમી શક્યો નહીં. આ એક એવી ટીમ છે જે મેચ જીતવા માટે કોઈપણ સકારાત્મક નિર્ણય લઈ શકે છે.
મોઈને ટેલિગ્રાફ સ્પોર્ટને પુષ્ટિ આપી કે તે આગામી 48 કલાકમાં આ અભિગમ પર વિચાર કરશે. તે ગયા વર્ષે તેના વાઇસ-કેપ્ટન તરીકે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશમાં ઇંગ્લેન્ડની સફેદ બોલ ટીમ માટે રમવામાં વ્યસ્ત હતો. આ સિવાય તેણે તાજેતરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આખી આઈપીએલ પણ રમી છે. હાલમાં તે વાઇટાલિટી બ્લાસ્ટમાં બર્મિંગહામ બેયર્સનો કેપ્ટન છે.
England likely to reach out to Moeen Ali to reconsider his Test retirement for the Ashes. (Reported by The Guardian). pic.twitter.com/IXDEUpMUv9
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 5, 2023