વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ સીરીઝ રમ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા 3 વનડે સીરીઝ રમવાની છે. ODI શ્રેણી 27 જુલાઈથી શરૂ થવાની છે, જેના માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે જ્યારે કેટલાક ખેલાડીઓની ટીમમાં વાપસી થઈ છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ સીરીઝ રમ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા 3 વનડે સીરીઝ રમવાની છે. ODI શ્રેણી 27 જુલાઈથી શરૂ થવાની છે, જેના માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે જ્યારે કેટલાક ખેલાડીઓની ટીમમાં વાપસી થઈ છે.
વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચેની પ્રથમ વનડેમાં જયદેવ ઉનડકટ 10 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં વાપસી કરી શકે છે. જણાવી દઈએ કે જયદેવ ઉનડકટે વર્ષ 2013માં ટીમ ઈન્ડિયા માટે ODI મેચ રમી હતી. આ પછી હવે જયદેવ ઉનડકટને ટીમમાં જગ્યા મળી છે. જ્યારે જયદેવ ઉનડકટ અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ માટે સાથે રમ્યા છે અને બંનેને સારા મિત્રો માનવામાં આવે છે.