વિશ્વભરના ક્રિકેટ ચાહકો ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ 5 સપ્ટેમ્બર પહેલા BCCIએ ટીમની જાહેરાત કરવી પડશે. એશિયા કપ માટે બોર્ડે 17 ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. પરંતુ વર્લ્ડ કપમાં ખેલાડીઓની સંખ્યા 15 જ રહેશે અને આવી સ્થિતિમાં પસંદગીકારો મુખ્ય ટીમમાં કયા ખેલાડીઓને સ્થાન આપે છે તે જોવાનું ખાસ રહેશે.
વર્લ્ડ કપ માટે ભારતની સંભવિત ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર. બેકઅપ પ્લેયર્સ: પ્રખ્યાત કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસન