ટીમ ઈન્ડિયાના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને આઈપીએલના ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી છે. અશ્વિને પોતાની ટીમમાં શાનદાર ખેલાડીઓનો સમાવેશ કર્યો છે, જેમાં મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સાથે જ અશ્વિને સુનીલ નારાયણ અને રાશિદ ખાનને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
અશ્વિને IPLના સફળ કેપ્ટનોમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. એમએસ ધોનીની ટીમના વિકેટકીપર તરીકે પણ પસંદગી કરવામાં આવી છે. મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલના શ્રેષ્ઠ ફિનિશર્સમાંથી એક છે. અશ્વિન એમએસ ધોનીની કપ્તાનીમાં આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી પણ રમી ચૂક્યો છે.
અશ્વિને પોતાની ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો સમાવેશ કર્યો છે. આ બંને આઈપીએલના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક છે.
આઈપીએલની ઓલ ટાઈમ પ્લેઈંગ-11 ટીમ:
મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના, સૂર્યકુમાર યાદવ, એબી ડી વિલિયર્સ, સુનીલ નારાયણ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને લસિથ મલિંગા.
India's all-rounder Ravichandran Ashwin has selected his all-time IPL XI, naming MS Dhoni as the captain pic.twitter.com/vlAwT2CqrP
— CricTracker (@Cricketracker) August 28, 2024