IPL

શું ઇંગ્લિસ લાવશે બેટિંગમાં બદલાવ?

ઓસ્ટ્રેલિયન વિકેટકીપર/બેટ્સમેન જોશ ઇંગ્લિસ લખનૌ સુપર જાયન્ટ્સ  સ્ક્વોડ સાથે 4 મેની મેચ પહેલા જોડાઈ ગયો છે અને તરત જ પસંદગી માટે ઉપલબ્ધ છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન મૅંથેઉં બ્રિટિઝકે  વ્યક્તિગત કારણોસર ટૂર્નામેન્ટ છોડીને પરત ગયા છે. Sportskeeda મુજબ, બ્રિટ્ઝકે ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયા છે.

ઇંગ્લિસને અગાઉ પંજાબ કિંગ્સ દ્વારા તેમના લગ્નના કારણે રિલીઝ કરવામાં આવ્યા હતા અને IPL 2026 ઑક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે તેમને ₹8.60 કરોડમાં સાઇન કર્યો હતો. તેમના લગ્ન 18 એપ્રિલે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના માર્ગરેટ રિવરમાં થયા હતા. ઇંગ્લિસે પંજાબ કિંગ્સ માટે 11 ઇનિંગ્સમાં 278 રન બનાવ્યા હતા, જેમાં સરેરાશ 30.88 અને સ્ટ્રાઈક રેટ 162.57 રહ્યો હતો. બીજી તરફ, બ્રિટ્ઝકે દક્ષિણ આફ્રિકા પરત ફરી ગયો છે અને તે 26 એપ્રિલે કોલકાતા નાઈટ રાઇડર્સ સામેની હોમ મેચ પહેલા જ LSG સ્ક્વોડ છોડી ગયો હતો, જે મેચ સુપર ઓવર સુધી ગઈ હતી. ઇંગ્લિસ પહેલાથી જ LSG ટીમ સાથે ટ્રેનિંગ શરૂ કરી ચૂક્યો છે. સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં થનાર મેચ બંને ટીમોની સીઝનની નવમી મેચ હશે અને બંને ટીમો હાલમાં માત્ર બે જીત સાથે ટેબલના નીચેના ભાગમાં છે.

આવતા અઠવાડિયામાં LSG માટે કઠિન શેડ્યૂલ છે જેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે મુંબઈમાં, પછી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે લખનૌમાં અને ત્યારબાદ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ચેન્નાઈમાં મેચ રમવાની છે કારણ કે તેઓ તેમની કેમ્પેઇનને ટ્રેક પર લાવવા પ્રયાસ કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે શું જોશ ઇંગ્લિસ LSG ની બેટિંગ બચાવી શકે?

Exit mobile version