ફાઇનલમાં પહોંચી હતી પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદથી તેનો પરાજય થયો હતો…
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે, તેની અંતિમ મેચ 10 નવેમ્બરે થશે. ભારતમાં કોવિડ 19 ના વધતા જતા કેસોને જોતાં વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગને યુએઈમાં ખસેડાઇ છે. બીસીસીઆઈના નિયમો અનુસાર આ વખતે તમામ ટીમોએ નિયમોનું પાલન કરવું પડશે. આજે અમે તમને વિરાટ કોહલીના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
કોહલીની ટીમે એક વખત પણ ખિતાબ જીત્યો નથી. આ વખતે કોહલી આઈપીએલનો ખિતાબ જીત્યા બાદ જ ભારત પરત ફરવાનો પ્રયત્ન કરશે, કેમ કે, અત્યાર સુધી કોહલીની આરસીબી એક વખત પણ ખિતાબ જીતી શક્યો નથી. કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમ 2016 ની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદથી તેનો પરાજય થયો હતો.
આરસીબીની સંપૂર્ણ ટુકડી:
1- વિરાટ કોહલી (કેપ્ટન)
2- એબી ડી વિલિયર્સ
3- ક્રિસ મોરિસ
4- યુઝવેન્દ્ર ચહલ
5- શિવમ દુબે
6- એરોન ફિંચ
7- ઉમેશ યાદવ
8- વોશિંગ્ટન સુંદર
9- નવદીપ સૈની
10- મોહમ્મદ સિરાજ
11- ડેલ સ્ટેન
12- મોઇન અલી
13- પાર્થિવ પટેલ
14- પવન નેગી
15- ગુરકીરત માનસિંહ
16- ઇસુરુ ઉદના
17- દેવદત્ત પદ્વિકલ
18- શાહબાઝ અહેમદ
19- જોશુઆ ફિલિપ
20- પવન દેશપાંડે
21- એડમ જામ્પા