અનુભવી ઓપનર શિખર ધવન 2023 ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સ ટીમના કેપ્ટન તરીકે મયંક અગ્રવાલનું સ્થાન લેશે. બુધવારે ફ્રેન્ચાઇઝીની બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અગ્રવાલ આ વર્ષની શરૂઆતમાં તેની ટીમને IPL પ્લેઓફમાં લઈ જવામાં નિષ્ફળ રહ્યો હતો અને તેથી તેને કેપ્ટનના પદ પરથી હટાવવામાં આવ્યો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાવાના કેએલ રાહુલના નિર્ણય બાદ અગ્રવાલને 2022 સીઝન માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતો. તેના નેતૃત્વમાં ટીમ સારૂ પ્રદર્શન કરી શકી ન હતી અને અગ્રવાલ પોતે 16.33ની એવરેજથી માત્ર 196 રન જ બનાવી શક્યો હતો. ફ્રેન્ચાઈઝી ગયા વર્ષે જ ધવનને કેપ્ટન બનાવવાનું વિચારી રહી હતી પરંતુ તેણે અગ્રવાલ સાથે આગળ વધવાનું નક્કી કર્યું.
બોર્ડે ધવનને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. તેની પાસે આઈપીએલમાં ખેલાડી અને કેપ્ટન તરીકે સારો અનુભવ છે અને તેણે ટીમ માટે તેની પ્રથમ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું.