આ મેચ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 27 જૂન 2019 ના રોજ રમાઇ હતી…
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર વિજય શંકરે બુધવારે તેની મંગેતર વૈશાલી વિશ્વસ્વરન સાથે લગ્ન કર્યા. કોરોનાવાયરસ રોગચાળો જોતાં, ઓછા લોકો લગ્ન સમારોહમાં ભાગ લઈ શક્યા હતા. આ સાથે જ, વિવાહિત લોકોની યાદીમાં વિજય પણ જોડાયો છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) એ વિજય શંકરના લગ્નનો ફોટો શેર કર્યો અને અભિનંદન પાઠવ્યા. અને લખ્યું, “અમે આ નવા પરિણીત દંપતીને તેમના જીવનના ખૂબ જ ખાસ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથે તેઓને ખૂબ સારા લગ્ન જીવનની શુભેચ્છાઓ.” નોંધનીય છે કે વિજય શંકર આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સાથે રમે છે.
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં વિજય શંકરની સગાઈ થઈ. તેણે આ અંગેની માહિતી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા ફોટો શેર કરીને આપી હતી. તેની સગાઈના સમાચાર આઈપીએલ 2020 માટે યુએઈ જવા રવાના થયા પહેલા આવ્યા હતા.
વિજયે વર્લ્ડ કપમાં છેલ્લી મેચ રમી હતી. આ મેચ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 27 જૂન 2019 ના રોજ રમાઇ હતી. વિજયની ઈજાને કારણે તેણે વર્લ્ડ કપ વચ્ચે જ છોડી દીધો હતો. જો કે, તે વર્લ્ડ કપમાં કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો, જેણે ટીમ મેનેજમેન્ટ પર પણ ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. આ પછી તે ટીમ ઈન્ડિયાનો ભાગ બનવામાં સફળ થઈ શક્યો નહીં.

