ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઝિમ્બાબ્વે સામે રમાનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પસંદગી સમિતિએ આ વખતે કેટલાક મોટા નિર્ણયો લઈને યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સૌથી વધુ ચર્ચાનો વિષય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ટીમમાં સ્થાન ન મળવાનો રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી T20 ફોર્મેટમાં તેની નબળી બેટિંગને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
આ શ્રેણી માટે શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપવામાં આવી છે. સાથે જ પ્રભસિમરન સિંહ, અશોક શર્મા અને યશ ઠાકુરને પ્રથમ વખત ભારતીય T20 ટીમમાં સ્થાન મળ્યું છે. પ્રભસિમરને ઘરેલુ ક્રિકેટ અને IPLમાં સતત આક્રમક બેટિંગથી પોતાની છાપ છોડી હતી, જ્યારે અશોક શર્મા અને યશ ઠાકુરે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર બોલિંગ કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.
ટીમમાં રિંકુ સિંહ અને ઝડપી બોલર મયંક યાદવની પણ વાપસી થઈ છે. ઉપરાંત વૈભવ સૂર્યવંશીને વધુ તક આપવાના હેતુથી પણ ટીમમાં સામેલ રાખવામાં આવ્યો છે. પસંદગીકારો આગામી મોટા ટૂર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય અનુભવ અપાવવા માંગે છે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રણ મેચોની T20 શ્રેણી 23 જુલાઈથી હરારેમાં શરૂ થશે. તમામ મેચો હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. આ શ્રેણી યુવા ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા સાબિત કરવાની મોટી તક બની રહેશે. ખાસ કરીને પ્રથમ વખત ટીમમાં સામેલ થયેલા ખેલાડીઓના પ્રદર્શન પર સૌની નજર રહેશે. બીજી તરફ, સંજુ સેમસનની બાદબાકીથી ચાહકોમાં ચર્ચા શરૂ થઈ છે અને હવે તેની વાપસી ક્યારે થશે તે જોવાનું રહેશે.
🚨TEAM INDIA SQUAD FOR ZIMBABWE T20I SERIES 🚨
Shreyas Iyer (C), Sooryavanshi, Abhishek, Tilak (VC), Ishan (WK), Dube, Suryansh Shedge, Rinku, Harsh Dubey, Varun, Prince Yadav, Yash Thakur, Ashok Sharma, Mayank Yadav, Prabhsimran Singh (WK). pic.twitter.com/3Q50fCrLuM
— lndian Sports Netwrk (@IS_Netwrk29) July 6, 2026

