T-20

વૈભવ સૂર્યવંશીની શાનદાર ફોર્મથી સંજૂ સેમસનની વાપસી પર સવાલ

ભારતીય ક્રિકેટમાં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની સતત શાનદાર બેટિંગે હવે ટીમ ઈન્ડિયાની પસંદગી અંગે નવી ચર્ચા શરૂ કરી છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પાઠાણે વૈભવના પ્રદર્શનની પ્રશંસા કરતાં એવું નિવેદન આપ્યું કે જેના કારણે સંજૂ સેમસનની ભારતીય ટી-20 ટીમમાં વાપસીને લઈને ચર્ચા વધુ તેજ બની ગઈ છે.

ઈરફાન પાઠાણે સોશિયલ મીડિયા પર લખ્યું કે વૈભવ સૂર્યવંશી જે રીતે સતત પ્રદર્શન કરી રહ્યો છે, તે જોતા તેને ટીમમાં તક મળ્યા બાદ પોતાની જગ્યા ગુમાવશે નહીં. પાઠાણના આ નિવેદનને ઘણા ક્રિકેટ ચાહકોએ સંજૂ સેમસનની ટીમમાં વાપસી સાથે જોડીને જોયું. તેમના મતે, જો વૈભવને સતત તક મળશે તો અન્ય ખેલાડીઓ માટે ટીમમાં સ્થાન બનાવવું વધુ મુશ્કેલ બનશે.

તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીએ આક્રમક બેટિંગ કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. તેની નિર્ભય બેટિંગ અને સતત રન બનાવવાની ક્ષમતાએ ટીમ મેનેજમેન્ટ તેમજ ક્રિકેટ નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. બીજી તરફ, સંજૂ સેમસન છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર છે અને તેની વાપસી અંગે સતત ચર્ચા ચાલી રહી છે.

ઈરફાન પાઠાણનું માનવું છે કે ભારતીય ટીમમાં સ્થાન માત્ર પ્રતિષ્ઠા પરથી નહીં પરંતુ વર્તમાન ફોર્મના આધારે મળવું જોઈએ. તેથી જે ખેલાડી સતત સારું પ્રદર્શન કરે છે તેને જ વધુ તક મળવી જોઈએ. વૈભવની હાલની ફોર્મને જોતા તે લાંબા સમય સુધી ભારતીય ટીમનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.

સોશિયલ મીડિયા પર પણ પાઠાણના નિવેદન બાદ ચાહકો વચ્ચે મતભેદ જોવા મળ્યા. કેટલાક લોકોએ વૈભવને ભવિષ્યનો સ્ટાર ગણાવ્યો, જ્યારે કેટલાકે સંજૂ સેમસન જેવા અનુભવી ખેલાડીને વધુ એક તક મળવી જોઈએ તેવી દલીલ કરી.

આગામી મહિનાઓમાં ભારતીય ટીમની પસંદગી દરમિયાન પસંદગીકારો માટે મુશ્કેલ નિર્ણય લેવાનો રહેશે. એક તરફ અનુભવ ધરાવતા સંજૂ સેમસન છે તો બીજી તરફ અદભૂત ફોર્મમાં રમતો યુવા વૈભવ સૂર્યવંશી. હવે જોવાનું રહેશે કે ટીમ મેનેજમેન્ટ ભવિષ્યને પ્રાથમિકતા આપે છે કે અનુભવી ખેલાડીને ફરી તક આપે છે.

Exit mobile version