
ન્યૂઝીલેન્ડને બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી પહેલા મોટો આંચકો લાગ્યો છે. કેન વિલિયમસન બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
તેના સ્થાને ટોમ લાથમને કિવી ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડે 13 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. એજાઝ પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. એજાઝે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં એક ઇનિંગમાં 10 વિકેટ લઈને ખળભળાટ મચાવ્યો હતો.
કેન વિલિયમસન કોહલીની ઈજાને કારણે બહાર છે. આ પ્રથમ વખત હશે જ્યારે ટોમ લાથમ સમગ્ર શ્રેણી માટે કિવી ટીમની કમાન સંભાળશે. તેણે ભારત સામેની મુંબઈ ટેસ્ટમાં પ્રથમ વખત કિવી ટીમની કમાન સંભાળી હતી. નવાઈ તો એ છે કે, ભારત સામે એક ઇનનિંગમાં 10 વિકેટ લેનાર એજાઝને ટીમમાં સામેલ કરવામાં નહીં આવ્યો.
