ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં કેમ નથી રમી રહ્યો, જ્યારે તે તાજેતરના સમયમાં ભારતીય પેસ આક્રમણના શ્રેષ્ઠ બોલરોમાંથી એક તરીકે ઉભરી આવ્યો છે. આખરે શિવમ માવીને પ્લેઇંગ-11માં સામેલ ન કરીને ડેબ્યૂની તક કેમ આપવામાં આવી. આવો જાણીએ તેનું કારણ.
અર્શદીપ સિંહને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો કારણ કે તે બીમાર હતો અને તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી, તેથી તે પ્લેઇંગ-11માં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ એક સત્તાવાર ટ્વીટ કરીને આ અંગેની માહિતી જાહેર કરી હતી.
Note – Arshdeep Singh wasn't available for selection for the 1st T20I against Sri Lanka since he has still not fully recovered from his illness.#INDvSL
— BCCI (@BCCI) January 3, 2023