IPL

સૂર્યકુમારનો ખુલાસો, ઇશાન કિશનને ત્રીજા નંબર પર બેટિંગનો નિર્ણય આમણો હતો….

મુંબઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 131 રન બનાવ્યા હતા…..

આઈપીએલની 17 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પંજાબ કિંગ્સના હાથે 9 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં મુંબઇની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવી હતી, મુંબઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 131 રન બનાવ્યા હતા.

આ સમય દરમિયાન, જ્યારે ઇન-ફોર્મ સૂર્યકુમાર યાદવની પહેલા ડાબોડી વિસ્ફોટક બેટ્સમેન ઇશાન કિશન બેટિંગ કરવા ગયો ત્યારે ઘણા ક્રિકેટ ચાહકો ચોંકી ગયા હતા.

કિશન આ મેચમાં સંઘર્ષ કરતો દેખાયો અને તેણે 17 બોલનો સામનો કરીને માત્ર 6 રન બનાવ્યા. બીજી તરફ, સૂર્યકુમાર યાદવે સુકાની રોહિત શર્મા સાથે 79 રનની મોટી ભાગીદારી કરી છે. દરમિયાન મેચ પૂરી થયા બાદ વિશેષ ચર્ચા દરમિયાન સૂર્યકુમાર યાદવે આ મેચમાં ઇશાન કિશનને કેમ મોકલવામાં આવ્યો હતો તેના પર પડદો હટાવ્યો હતો.

તેણે કહ્યું કે, “ઇશાન કિશનને ઉપર મોકલવો એ સંપૂર્ણપણે મેનેજમેન્ટનો નિર્ણય હતો. છેલ્લા કેટલાક વર્ષોથી હું ખુશ હતો કે અમે આ જ વસ્તુ કરી રહ્યા છીએ, અમારા બંનેએ નક્કી કર્યું હતું કે આપણે આ રીતે રમીશું અને તે પ્રમાણે આગળ વધીશું.

Exit mobile version