IPL

KKR સામે હાર્યા બાદ વિરાટ કોહલીને રડતાં જોઈ ડી વિલિયર્સની પણ રડવા લાગ્યો

મેદાનમાં હંમેશા ઉત્સાહથી ભરપૂર રહેતો વિરાટ કોહલી ગઈકાલે તૂટી ગયો. IPLના બીજા એલિમિનેટરમાં હાર બાદ કોહલી રડતો જોવા મળ્યો હતો. કેપ્ટન તરીકે આરસીબી માટે આઈપીએલ ટ્રોફી જીતવાનું તેનું સપનું તૂટી ગયું છે. ગઈકાલે હાર સાથે કોહલીની કેપ્ટન તરીકેની કારકિર્દીનો અંત આવ્યો. મેચ હાર્યા બાદ ટીમ સાથે વાત કરતી વખતે વિરાટ કોહલી રડવા લાગ્યો હતો. વિરાટને રડતો જોઈને ડી વિલિયર્સ પણ રડવા લાગ્યા.

કોહલીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે કેપ્ટન તરીકે આ તેની છેલ્લી IPL સીઝન છે. કોહલી ઈચ્છતો હતો કે આરસીબી તેની છેલ્લી આઈપીએલમાં ટ્રોફી જીતે. મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCB એ 138/7 નો સ્કોર બનાવ્યો હતો અને 139 રનનો લક્ષ્યાંક KKR એ છેલ્લી ઓવરમાં 6 વિકેટના નુકસાને હાંસલ કર્યો હતો. જ્યારે કોહલી હારી ગયો, ત્યારે તે મેદાન પર જ રડવા લાગ્યો. કોહલીના રડવાની એક પ્રખ્યાત વાર્તા છે.

વિરાટ કોહલીને મજબૂત અને હિંમતવાન કેપ્ટન માનવામાં આવે છે. કોહલી મેદાનમાં દરેક પરિસ્થિતિમાં મક્કમ છે. પરંતુ ગઈકાલે કોહલી નબળો પડી ગયો. હાર બાદ કોહલીના ચહેરા પર નિરાશા હતી. તે મેચ બાદ રડતો પણ જોવા મળ્યો હતો.

Exit mobile version