IPL 2024 ની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સ ને 6 વિકેટે હરાવ્યું. હૈદરાબાદની આ જીતમાં તેના યુવા ખેલાડી અભિષેક શર્માએ ઘણું યોગદાન આપ્યું હતું.
ચેન્નાઈ સામે મેચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યા પછી, અભિષેકે તેની સફળતા માટે યુવરાજ સિંહ અને બ્રાયન લારા સાથે તેના પિતાને શ્રેય આપ્યો. શુક્રવારે આ યુવા ડાબા હાથના ઓલરાઉન્ડરને તેની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સનરાઇઝર્સે હૈદરાબાદને આસાનીથી હરાવ્યું હતું. આ સિઝનમાં ટીમનો આ બીજો વિજય હતો.
અભિષેકે 12 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. ઓપનિંગ કરવા આવેલા અભિષેકે સનરાઇઝર્સને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. 166 રનના લક્ષ્યનો પીછો કરતા તેણે હૈદરાબાદને ઇનિંગ્સની શરૂઆતથી જ લીડ અપાવી હતી. પાવરપ્લેના અંત સુધીમાં હૈદરાબાદનો સ્કોર 78 રન હતો.
અભિષેકે કહ્યું, ‘મોટો સ્કોર મહત્વપૂર્ણ છે. પરંતુ આજે હું ફક્ત પ્રવાહ સાથે ગયો. આશા છે કે, આગલી વખતે જ્યારે હું બેટિંગ કરવા ઉતરીશ ત્યારે મોટો સ્કોર કરીશ. આ બધું મેં અત્યાર સુધી કરેલી મહેનતનું પરિણામ છે. હું ખાસ કરીને મારા પિતા, યુવી પાજી અને બ્રાયન લારાનો આભાર માનું છું.