ભારતના પૂર્વ ક્રિકેટર સુધીર નાઈક આ દિવસોમાં જીવનની લડાઈ લડી રહ્યા છે. 1974માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરનાર સુધીર નાઈક છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ છે. તેમની સારવાર ચાલી રહી છે. 78 વર્ષીય સુધીરે ભારત માટે ત્રણ ટેસ્ટ અને બે વનડે રમી છે.
પૂર્વ ક્રિકેટર સુધીર નાઈકે 1974માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેણે ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કર સાથે ઓપનિંગ કરી હતી. જોકે આ મેચમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. સુધીર નાઈકે 19 બોલનો સામનો કર્યો અને માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આ મેચમાં સુનીલ ગાવસ્કર ખાતું ખોલાવ્યા વગર પરત ફર્યા હતા. જોકે બીજા દાવમાં સુધીર નાઈકે જોરદાર બેટિંગ કરી હતી. તેણે 165 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચમાં ભારતને ઈંગ્લેન્ડે ઈનિંગ અને 78 રને પરાજય આપ્યો હતો.
ભારત તરફથી રમતા સુધીર નાઈકે રણજી ટ્રોફીમાં બોમ્બે (મુંબઈ) ટીમની કેપ્ટનશીપ કરી છે. આ સિવાય તે નેશનલ ક્રિકેટ ક્લબમાં કોચ તરીકે પણ સક્રિય રહ્યો છે. જેમની તાલીમે ભારત માટે ઝહીર ખાન અને વસીમ જાફર જેવા સ્ટાર ક્રિકેટરો અને રાજેશ પવાર, રાજુ સુતાર જેવા ઘણા ખેલાડીઓ, મુંબઈના ભૂતકાળ અને વર્તમાન ખેલાડીઓ તૈયાર કર્યા છે.
Please pray for my dear friend Sudhir Naik, test cricketer, captain Bombay Ranji Trophy team. 🙏🙏 pic.twitter.com/1HjRa5kjl9
— satish shah🇮🇳 (@sats45) March 29, 2023