વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ખેલાડીઓને સાંત્વના આપી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા. પીએમ મોદી ડ્રેસિંગમાં જતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો.
આ સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાએ પણ પીએમ મોદીની મુલાકાત પર પ્રતિક્રિયા આપી હતી.હવે ડેશિંગ બેટ્સમેન અને એક્ટિંગ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ પીએમ મોદીના ડ્રેસિંગ રૂમમાં આવવા પર પ્રતિક્રિયા આપી છે.
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે પાંચ T20 ઈન્ટરનેશનલ મેચોની સીરીઝ રમી રહી છે. આ ટી20 સીરીઝમાં ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવ કરી રહ્યા છે.પહેલી ટી20 મેચ જીતીને ભારતે સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બીજી T20 મેચ 26 નવેમ્બર રવિવારના રોજ રમાશે, પરંતુ આ મેચ પહેલા સૂર્યકુમાર યાદવે પીએમ મોદી પર નિવેદન આપ્યું છે.
સૂર્યકુમાર યાદવે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ડ્રેસિંગ રૂમમાં આવવા માટે પીએમ મોદીના વખાણ કર્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચ પહેલા બોલતા સૂર્યાએ કહ્યું કે, વર્લ્ડ કપ ફાઈનલ બાદ તરત જ અમે ડ્રેસિંગ રૂમમાં બેઠા હતા અને પછી અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડ્રેસિંગ રૂમમાં આવ્યા, તેમણે અમને બધા માટે પ્રેરણાદાયી શબ્દો કહ્યા. તે દરેક ખેલાડીને મળ્યો અને અમારી સાથે આગળ વધવાની વાત કરી કારણ કે સ્પોર્ટ્સમાં આવું થાય છે અને આપણે આગળ વધવાનું હોય છે.
સૂર્યકમાકર યાદવે એમ પણ કહ્યું હતું કે, આ હારને ભૂલવામાં અમને થોડો સમય લાગશે પરંતુ તેમના પાંચ-છ મિનિટ સુધી દરેકને પ્રેરક શબ્દો બોલવા અને અમને મળવું એ મોટી વાત છે કારણ કે તેઓ દેશના વડાપ્રધાન છે. અમે તેમની વાત ધ્યાનથી સાંભળી, તેમની સાથે સમય વિતાવ્યો અને તેમના સૂચનોનું અનુકરણ કરવાનો પ્રયાસ કરીશું.
Suryakumar Yadav thanking the support of fans and PM Narendra Modi for his motivation. pic.twitter.com/KFhq0V8PE6
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 25, 2023