વર્લ્ડ કપ 2023માં ચેન્નાઈમાં રમાયેલી મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી ટીમની ઘણી ટીકા થઈ રહી છે.
દરેક વ્યક્તિ પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શનની વાત કરી રહ્યો છે. જ્યારે ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે બેટિંગ પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે પાકિસ્તાનની ટીમ બેટિંગ કરતી વખતે મોટો સ્કોર બનાવી શકતી નથી અને તેણે આનું પરિણામ ભોગવવું પડે છે.
વર્લ્ડ કપ 2023ની 22મી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો અને તેની સામે પ્રથમ જીત નોંધાવી હતી. પહેલા રમતા પાકિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં 282/7 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાને 49 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અને મેચ જીતી લીધી હતી. અફઘાનિસ્તાનના ઈબ્રાહિમ ઝદરાનને 113 બોલમાં 87 રનની ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
મેચ બાદ A Sports પર વાતચીત દરમિયાન શોએબ મલિકે પાકિસ્તાનની ટીમની હાર પર પ્રતિક્રિયા આપી હતી. વાત કરતાં કહ્યું, મોટી ટીમો 350 પિચ પર 370 રન બનાવે છે. તેઓ 300 રનની પીચ પર 340 રન બનાવે છે પરંતુ પાકિસ્તાનની સમસ્યા એ છે કે જ્યાં 340 રન બનાવવા જોઈએ ત્યાં તેઓ 280 રન બનાવે છે. જ્યાં અમારે 370 રન બનાવવા જોઈએ ત્યાં અમે 320 રન બનાવ્યા. તે ઈરાદો અમારી ટીમમાં જોવા મળતો નથી. અમારી બોલિંગ પણ ઓછી સ્કોર પર અન્ય ટીમોને રોકવામાં સક્ષમ નથી.
"As a leader, you need to think out of the box…" Former Pakistan captain #ShoaibMalik opines on #BabarAzam's strategy as captain.#ASportsHD #ARYZAP #CWC23 #ThePavilion #WasimAkram #ShoaibMalik #MoinKhan #FakhreAlam #MisbahulHaq #PAKvsAFG pic.twitter.com/vsAjsJhy09
— ASports (@asportstvpk) October 24, 2023