ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર ડાયના એડુલજીએ મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતના નિરાશાજનક પ્રદર્શન બાદ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે હવે ભારતીય ટીમે ટી20 ફોર્મેટમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને મુખ્ય કોચ અમોલ મઝુમદારથી આગળ વધવા અંગે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.
એડુલજીના મતે હરમનપ્રીત કૌર ભારતીય ક્રિકેટની શ્રેષ્ઠ ખેલાડીઓમાંની એક છે અને તેણે લાંબા સમય સુધી ટીમનું સફળ નેતૃત્વ કર્યું છે, પરંતુ ટી20 ક્રિકેટમાં હવે નવા કેપ્ટનની જરૂરિયાત છે. તેણે કહ્યું કે હરમનપ્રીત ખેલાડી તરીકે ટીમમાં યોગદાન આપી શકે છે, પરંતુ કેપ્ટન તરીકે નવી વિચારસરણી અને વ્યૂહરચના લાવનાર વ્યક્તિને તક મળવી જોઈએ.
તેણે મુખ્ય કોચ અમોલ મઝુમદાર પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે હાલની સપોર્ટ સ્ટાફ ટીમને વધુ આગળ લઈ જઈ શકશે એવું લાગતું નથી. એડુલજીના મતે ખેલાડીઓ હવે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે અને તેમને પડકાર આપનાર તેમજ વધુ કડક અભિગમ અપનાવનાર કોચની જરૂર છે.
એડુલજીએ ટીમની પસંદગી અને ફિલ્ડિંગ પર પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેના મતે યુવા ખેલાડીઓને વધુ તક આપવી જોઈએ અને ટી20 તથા વનડે માટે અલગ-અલગ ટીમ તૈયાર કરવી જોઈએ. સતત એક જ ખેલાડીઓને તમામ ફોર્મેટમાં રમાડવાથી તેની ફિટનેસ અને પ્રદર્શન બંને પર અસર પડે છે.
તેણે વધુમાં જણાવ્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) મહિલા ક્રિકેટ માટે પૂરતું રોકાણ અને સુવિધાઓ આપી રહ્યું છે, પરંતુ હવે પરિણામ લાવવા માટે કડક નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે. એડુલજીના આ નિવેદનથી ભારતીય મહિલા ક્રિકેટમાં નેતૃત્વ અને કોચિંગને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે, જ્યારે એશિયન ગેમ્સ માટે હરમનપ્રીત કૌરને ફરી કેપ્ટન તરીકે જાળવી રાખવાનો નિર્ણય પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
Former skipper Diana Edulji has called for India to move on from Harmanpreet Kaur as captain following the team’s T20 World Cup exit#HarmanpreetKaur #T20WorldCup pic.twitter.com/F8FiqfeJvz
— Cricbuzz (@cricbuzz) June 30, 2026

