પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમનું પ્રદર્શન તાજેતરના સમયમાં ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. બાબરે ટી20 રેન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવ્યું છે અને તેના પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.
પહેલા એશિયા કપ અને હવે પાકિસ્તાન સામેની શ્રેણીમાં તેનું બેટ મોટાભાગે શાંત રહ્યું છે. બાબર પર ઉઠેલા સવાલો વચ્ચે હવે પૂર્વ ભારતીય બેટ્સમેન રોહન ગાવસ્કર આગળ આવ્યા છે.
ગાવસ્કરે કહ્યું કે બાબર ગુણવત્તાયુક્ત ખેલાડી છે. બાબર પરિસ્થિતિ અનુસાર ગિયર્સ બદલી શકે છે અને તમે તેની 1લી ઈનિંગથી લઈને બીજી ઈનિંગ સુધીના આંકડા જોઈ શકો છો. પ્રથમ દાવમાં તેનો સ્ટ્રાઈક રેટ 125ની આસપાસ છે, જ્યારે બીજી ઈનિંગમાં તેનો સ્ટ્રાઈક રેટ 137ની આસપાસ છે, જે દર્શાવે છે કે તેની પાસે ગિયર બદલવાની ક્ષમતા છે. એટલા માટે તેને વન-ડાયમેન્શનલ ખેલાડી કહેવું ખોટું છે.
જણાવી દઈએ કે બાબર હવે T20 રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેનો સાથી બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 801 રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ 799 રેટિંગ સાથે બીજા સ્થાને છે. બાબર આઝમની વાત કરીએ તો તે 792 રેટિંગ સાથે પ્રથમ સ્થાનેથી ત્રીજા સ્થાને આવી ગયો છે.
એશિયા કપમાં પણ બાબરનું પ્રદર્શન સારું રહ્યું નથી. જો કે તેણે પાકિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ શ્રેણીની બીજી T20 મેચમાં સદી ફટકારી હતી, પરંતુ તાજેતરમાં તેના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ આવી રહ્યો છે અને તેણે તેની પ્રથમ T20 રેન્કિંગ ગુમાવી દીધી છે.
દરમિયાન ગાવસ્કરે બાબરના પ્રદર્શનનો બચાવ કરતા કહ્યું કે પાકિસ્તાનની ટીમ તેની બેટિંગની આસપાસ ફરે છે. તેથી, જ્યારે બાબર પ્રથમ બેટિંગ કરે છે ત્યારે તેને લાગે છે કે તેણે લાંબા સમય સુધી રહેવું પડશે કારણ કે જો તે નિષ્ફળ જશે તો ટીમ નિષ્ફળ થઈ શકે છે.