ICC T20 વર્લ્ડ કપ 2024 શરૂ થઈ ગયો છે, જેમાં ટૂર્નામેન્ટની પ્રથમ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાઈ હતી. આ વખતે T20 વર્લ્ડ કપની 9મી આવૃત્તિ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં રમાઈ રહી છે.
આ ટુર્નામેન્ટની પ્રથમ આવૃત્તિ વર્ષ 2007માં રમાઈ હતી અને ભારતીય ટીમે તે જીતી હતી, જેમાં યુવરાજ સિંહે ટીમને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં આ વખતના વર્લ્ડ કપને લઈને તેણે આશા વ્યક્ત કરી છે કે ટીમ ઈન્ડિયા આ વખતે આઈસીસી ટ્રોફીનો દુષ્કાળ ખતમ કરી શકે છે.
યુવરાજ સિંહ, જેને આ વખતે આઈસીસી ટી-20 વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યો છે, તેણે આ વર્લ્ડ કપ વિશે કહ્યું કે જો ભારતીય ટીમ સ્કિલ પર ફોકસ કરીને પૂરા આત્મવિશ્વાસ સાથે રમશે તો તેના માટે જીતવું બહુ મુશ્કેલ નહીં હોય.
ટીમ ઈન્ડિયાએ વિરોધી ટીમ પર વધુ ધ્યાન આપવાને બદલે પોતાની ક્ષમતાઓ પર ધ્યાન આપવું પડશે. હું માનું છું કે અમારી પાસે મોટી ટૂર્નામેન્ટ જીતવાનો આત્મવિશ્વાસ છે. જો ભારતીય ટીમમાં આત્મવિશ્વાસ હશે અને તે પોતાની પૂરી ક્ષમતા મુજબ રમશે તો તે ટાઈટલ જીતવામાં અને આઈસીસી ટ્રોફી જીતવાના ચાલી રહેલા દુષ્કાળનો અંત લાવવામાં સફળ થશે.
આપણે આપણી મજબૂત બાજુ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જ્યાં વિપક્ષી ટીમ આપણા માટે ખતરો બની શકે છે તેના પર આપણે ધ્યાન ન આપવું જોઈએ. હાલમાં ટીમમાં ઘણા મેચ વિનિંગ ખેલાડીઓ છે જે પોતાના દમ પર મેચ જીતી શકે છે.
યુવરાજે એમ પણ કહ્યું હતું કે તેમના મતે ઓસ્ટ્રેલિયાની ટીમ આ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવામાં સફળ નહીં થાય.